દિવસ નવ ના પ્રવચનમાં ઉદ્ધરિત પાલી ફકરાઓ

પ્રકારેન જાનાતિ’તિ પઞ્ઞા.

--અટ્ઠસાલિની.

જુદા જુદા આયામોથી જાણવું એ પ્રજ્ઞા (બુદ્ધિમતા, જ્ઞાન) છે.


દાનં દદન્તુ સદ્ધાય,
સીલં રક્ખન્તુ સબ્બદા,
ભાવનાભિરતા હોન્તુ,
ગચ્છન્તુ દેવતાગતા.

--દુક્ખપ્પત્તાદિગાથા.

શ્રદ્ધાથી દાન આપો,
હમેશા શીલની રક્ષા કરો,
ધ્યાન કરવામાં સુખ જુઓ,
અને દેવગતિ પ્રાપ્ત કરો.